Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

      ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાં...

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

 

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

તારીખ ૧૧-૦૪-૨૦૨૪નાં દિને ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામ ગામના મુસ્લિમ સમાજનાં આગેવાન તેમજ દિવ્ય ભાસ્કર ન્યૂઝના અગ્રણી પત્રકાર અસિફભાઈ શેખ સહિત આગેવાનોએ રમઝાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમજ ખેરગામના હિન્દુ સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પણ રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના ભાઈ- બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

ઈદના દિવસે તેની શરૂઆત સવારની નમાઝથી થાય છે. આ દિવસે લોકો સવારે નવા કપડાં પહેરે છે અને નમાઝ અદા કરે છે અને શાંતિ અને સુલેહ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે. આ પછી લોકો એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને અલગ-અલગ રીતે ઈદની ઉજવણી કરે છે.

ઈદ-ઉલ-ફિત્ર દરમિયાન મીઠી વાનગીઓ ખાસ કરીને સેવૈયા બનાવવાનો રિવાજ છે. આ દિવસે લોકો એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને પ્રેમથી ઘરે બનાવેલી મીઠાઈઓ અને વાનગીઓ પીરસે છે. આ દિવસે લોકો એકબીજાને ઈદી પણ આપે છે. ઈદ એક રીતે ભેટ છે. આમાં કેટલીક ભેટ વસ્તુઓ અથવા પૈસા અથવા અન્ય કેટલીક ભેટ આપવામાં આવે છે. 

ઈદ ઉલ ફિત્રને અરબી અને એશિયાઈ દેશોમાં ઈદ અલ ફિત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરના તમામ મુસ્લિમોનો આ સૌથી મહત્વપૂર્ણ અને વિશેષ તહેવાર છે. ઈદ-ઉલ-ફિત્ર રમઝાન-એ-પાક મહિનાની પૂર્ણાહુતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉપવાસની સમાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઇદ અલ ફિત્ર એ પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપવાસ કરનારા તમામ લોકો માટે અલ્લાહ તરફથી એક પુરસ્કાર છે.

રમઝાન મહિનામાં ઉપવાસીઓ દ્વારા અલ્લાહની ઉપાસના કરવા અને તેમના માર્ગને અનુસરવા અને તેમનો આભાર માનવા માટે પણ તે ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે લગભગ તમામ મુસ્લિમ દેશોમાં ઈદ ઉલ ફિત્ર ત્રણ દિવસ માટે ઉજવવામાં આવે છે. 

એવું માનવામાં આવે છે કે ઈદ ઉલ ફિત્રનો તહેવાર પ્રથમ વખત ઈ.સ. 624 માં ઉજવવામાં આવ્યો હતો અને આ ઈદ પયગંબર મોહમ્મદ દ્વારા ઉજવવામાં આવી હતી. આ ઈદને ઈદ ઉલ-ફિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઈદ ઉલ-ફિત્રને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે બદરના યુદ્ધમાં પયગંબર હઝરત મુહમ્મદનો વિજય થયો હતો, ત્યારબાદ લોકોએ પોતાની વચ્ચે મીઠાઈઓ વહેંચી હતી અને પયગમ્બરની જીતની ઉજવણી કરવા માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી. 

ઈદ ઉલ ફિત્રનું મહત્વ

ઇસ્લામ ધર્મમાં રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો, મુસ્લિમ લોકો રોઝા એટલે કે ઉપવાસ રાખે છે અને તેમનો મોટાભાગનો સમય અલ્લાહની ઇબાદતમાં વિતાવે છે. મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે, જેને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Khergam :ખેરગામ તાલુકાના નડગધરી અને ધામધૂમા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Khergam :ખેરગામ તાલુકાના નડગધરી અને ધામધૂમા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે... Posted by  Aatish Patel  on  Wednesday, July 10, 2024 માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે... Posted by  Aatish Patel  on  Wednesday, July 10, 2024

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

 ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, ...