Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

  Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

 

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

તારીખ ૧૧-૦૪-૨૦૨૪નાં દિને ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામ ગામના મુસ્લિમ સમાજનાં આગેવાન તેમજ દિવ્ય ભાસ્કર ન્યૂઝના અગ્રણી પત્રકાર અસિફભાઈ શેખ સહિત આગેવાનોએ રમઝાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમજ ખેરગામના હિન્દુ સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પણ રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના ભાઈ- બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

ઈદના દિવસે તેની શરૂઆત સવારની નમાઝથી થાય છે. આ દિવસે લોકો સવારે નવા કપડાં પહેરે છે અને નમાઝ અદા કરે છે અને શાંતિ અને સુલેહ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે. આ પછી લોકો એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને અલગ-અલગ રીતે ઈદની ઉજવણી કરે છે.

ઈદ-ઉલ-ફિત્ર દરમિયાન મીઠી વાનગીઓ ખાસ કરીને સેવૈયા બનાવવાનો રિવાજ છે. આ દિવસે લોકો એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને પ્રેમથી ઘરે બનાવેલી મીઠાઈઓ અને વાનગીઓ પીરસે છે. આ દિવસે લોકો એકબીજાને ઈદી પણ આપે છે. ઈદ એક રીતે ભેટ છે. આમાં કેટલીક ભેટ વસ્તુઓ અથવા પૈસા અથવા અન્ય કેટલીક ભેટ આપવામાં આવે છે. 

ઈદ ઉલ ફિત્રને અરબી અને એશિયાઈ દેશોમાં ઈદ અલ ફિત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરના તમામ મુસ્લિમોનો આ સૌથી મહત્વપૂર્ણ અને વિશેષ તહેવાર છે. ઈદ-ઉલ-ફિત્ર રમઝાન-એ-પાક મહિનાની પૂર્ણાહુતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉપવાસની સમાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઇદ અલ ફિત્ર એ પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપવાસ કરનારા તમામ લોકો માટે અલ્લાહ તરફથી એક પુરસ્કાર છે.

રમઝાન મહિનામાં ઉપવાસીઓ દ્વારા અલ્લાહની ઉપાસના કરવા અને તેમના માર્ગને અનુસરવા અને તેમનો આભાર માનવા માટે પણ તે ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે લગભગ તમામ મુસ્લિમ દેશોમાં ઈદ ઉલ ફિત્ર ત્રણ દિવસ માટે ઉજવવામાં આવે છે. 

એવું માનવામાં આવે છે કે ઈદ ઉલ ફિત્રનો તહેવાર પ્રથમ વખત ઈ.સ. 624 માં ઉજવવામાં આવ્યો હતો અને આ ઈદ પયગંબર મોહમ્મદ દ્વારા ઉજવવામાં આવી હતી. આ ઈદને ઈદ ઉલ-ફિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઈદ ઉલ-ફિત્રને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે બદરના યુદ્ધમાં પયગંબર હઝરત મુહમ્મદનો વિજય થયો હતો, ત્યારબાદ લોકોએ પોતાની વચ્ચે મીઠાઈઓ વહેંચી હતી અને પયગમ્બરની જીતની ઉજવણી કરવા માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી. 

ઈદ ઉલ ફિત્રનું મહત્વ

ઇસ્લામ ધર્મમાં રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો, મુસ્લિમ લોકો રોઝા એટલે કે ઉપવાસ રાખે છે અને તેમનો મોટાભાગનો સમય અલ્લાહની ઇબાદતમાં વિતાવે છે. મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે, જેને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન

 Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મં

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.