Skip to main content

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

    વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક  વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ)  દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ  2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ  બનાવી ...

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. પરતું ટોચ સુધી પહોચવા માટે મુશ્કેલીઓ, અને સમસ્યાઓના પહાડને, નવસારી જિલ્લા તંત્રએ એકમેકના સહકારથી પાર કર્યું છે. જેમાંથી એક કિસ્સો જાણવા જેવો અને તમામ જિલ્લાઓએ અપનાવવા જેવો છે, જે અત્રે પ્રસ્તુત છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપુર્વક તપાસ કરી. જેમાં એક સમસ્યા એ સામે આવી, જેમાં કેટલાક એવા ખેડૂતો પણ હતા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા, પરંતું તેઓ પાસે દેશી ગાય ન હોવાના કારણે, ઇચ્છા હોવા છતા પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા. આ સમસ્યાના હલ રૂપે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ ગજેરાએ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર જિલ્લા તંત્રના સહયોગથી આ સમસ્યાનું જળમુળથી નિવારણ લાવવા, જિલ્લા કક્ષાએ એક જીવામૃત વેચાણ કેદ્ર ઉભું કરવાનો વિચાર કર્યો. વિચાર તો સારો હતો. પરંતું સરકારી કામકાજ સમય માંગી લેતો હોય છે. સેવાનિષ્ઠાને વરેલા અધિકારી, કર્મચારીઓ હોય તો કોઇ પણ કામ અશ્ક્ય નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી અને તેઓની ટીમે પ્રપોઝલ બનાવી જિલ્લા પંચાયતની સભાને રજુ કરી. નિયત સારી હોય તો તમામ લોકો મદદ માટે સાથ આપતા હોય છે. તે જ રીતે જિલ્લા પંચાયતના અધિકારી, પદાધિકારીઓએ આ માંગણીનો સ્વીકાર કરી, સ્વભંડોળમાંથી ફંડ આપી કેન્દ્ર ઉભું કરવાની મંજુરી આપી. અને આમ, ડીસેમ્બર ૨૦૨૩થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામે ખેતીવાડી વિભાગના બીજ કેન્દ્ર ખાતે 'જીવામૃત પ્રોજેક્ટ'ની શરૂઆત કરવામાં આવી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરાએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના એવા ખેડૂતો કે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે, પરંતુ તેઓ પાસે પ્રાકૃતિક ખેતીના પૂરતા આયામો નથી, જેમ કે દેશી ગાય. દેશી ગાય ન હોવાથી જીવામૃત બનાવી શકાતું નથી, અને તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા નથી. આ સમસ્યાને ધ્યાને લઇ, જીવામૃતનું જથ્થા બંધ પ્રોડક્શન કરવાના હેતુસર જીવામૃત પ્રોજેક્ટની પ્રપોઝલ મુકવામાં આવી હતી. જેથી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને જીવામૃત પોતાના ગામડે જ, ઘર આંગણે પહોચાડી શકાય. આ પ્રોજેક્ટની સરાહના કરી જિલ્લા તંત્ર દ્વારા વાંસદા તાલુકાના નાની ભમતી ગામે બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે જીવામૃત ઉત્પાદન અને વિતરણની શરૂઆત કરવામાં આવી. નવસારી જિલ્લામાં જીવામૃત પ્રોજેક્ટને ખેડૂતોનો ખુબ સહયોગ મળ્યો છે, અને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. કે તેઓ પણ રસાયણ મુક્ત ખેતી કરી શકે છે. માર્કેટમાં પ્રાકૃતિક ખેત પેદાશોની બહોળા પાયે ખરીદી કરી નાગરિકો તરફથી પણ ખેડૂતોની મહેનતને વધાવી લેવામાં આવી રહી છે. એટલુ જ નહી, આ પ્રોજેક્ટના કારણે રસાયણયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે. આવા ખેડૂતોને જોઇ આસપાસના ખેડૂતો પણ આ બાબતે પુછતાછ કરી રહ્યા છે. જેના કારણે આ કેન્દ્રને એક્ષપાન્ડ કરવા તરફ નવસારી જિલ્લા તંત્ર વિચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ નવસારી જિલ્લા દ્વારા અપનાવવામાં આવ્યો છે. ખેડૂતોની વાત કરીએ તો, પ્રાકૃતિક ખેતી કરતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશિલ ખેડૂત પટેલ પ્રિતેશભાઇ આ અંગે જણાવે છે કે, મારે પ્રાકૃતિક ખેતી કરવી હતી. પરંતુ મારી પાસે દેશી ગાય નથી. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની જરૂરીયાત હોય છે. જેના કારણે હું મુંઝવણમાં હતો. પરંતું અમારા ગ્રામસેવક મારફત ખબર પડી કે નાની ભમતી ખાતે જીવામૃતનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાથી જીવામૃતની ખરીદી કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી, અને પ્રાકૃતિક ખેતીથી અમને ખુબ જ સારૂ ઉત્પાદન મળ્યું છે. પ્રિતેશભાઇએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉપજ સારી મળે છે. પાકની ક્વોલીટી સારી રહે છે. જેમ કે રીંગણની ખેતી કરીએ તો સાઇનીંગ સારી આવે, ઉત્પાદન સારૂ મળે છે. દુધીની વાત કરુ તો તેની લેન્થ સારી થાય, અને બજાર ભાવ સારો મળે. આમ, પ્રાકૃતિક ખેતી થકી પહેલા કરતા મારી આવક ખુબ વધી છે. જેના માટે હુ સરકારશ્રી અને જિલ્લા/તાલુકાના ખેતીવાડી વિભાગનો આભારી છું. નવસારી જિલ્લો બાગાયતી ફળો માટે જાણીતો છે. પ્રાકૃતિક ખેતીએ બાગાયતી પાકોમાં પણ અસરકારક પરિણામ મેળવ્યા છે. કેરીની વાડી ધરાવતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ઇશ્વરભાઇ ગારાસીયાએ આ બાબતે જણાવ્યું હતું કે, ૧૦ એકર જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂં છું. મારા ખેતરમાં ૪૦૦ જેટલી આંબા કલમ આવી છે. તમામ આંબામાં હુ જીવામૃત અને છાણીયા ખાતરનો ઉપયોગ કરૂં છું. જેના કારણે કેરીનું કદ વધ્યું છે, અને જીવાત ઓછી થઇ છે. આમ, નવસારી જિલ્લાની એક નાનકડી પહેલે, એક મહાઅભિયાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે નવસારી જિલ્લાના મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગની પહેલના કારણે સ્થાનિક ખેડૂતોમાં આ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટની સરાહના થઇ રહી છે. *જીવામૃત પ્રોજેક્ટની શરૂઆત:* ડીસેમ્બર ૨૦૨૩થી શરૂ કરેલ આ જીવામૃત પ્રોજેક્ટનું સંકલન ખેતીવાડી શાખાના પેટા વિભાગ-વાંસદાના મદદનીશ ખેતી નિયામક શ્રી પરેશકુમાર કોલડિયા દ્વારા થાય છે. આ કેન્દ્ર ખાતે દરરોજ ૧૨૦૦ લીટર જીવામૃત ઉત્પન્ન થાય છે. જેનું જિલ્લાના તમામ છ તાલુકાઓમાં અઠવાડિયામાં એક દિવસ પ્રમાણે, વેચાણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃતનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેનો નવસારી જિલ્લાનાં કુલ ૧,૩૩૧ ખેડૂતોએ લીધો છે. *કેવી રીતે તૈયાર થાય છે જીવામૃત?* જીવામૃત બનાવવા સૌથી અગત્યનું છે દેશી ગાયનું છાણ, અને ગૌમુત્ર. વાંસદા નજીકના ગામ કોષ સ્થિત 'ઓમ મીત ગૌ શાળા'માં ૭૦ દેશી જાત આધારીત ગીર, કાંકરેજ, અને ડાંગી ગાયો છે. આ ગૌ શાળા પાસેથી દરરોજ તાજુ ગૌમુત્ર અને છાણ એકત્રીત કરી, બીજ કેન્દ્ર ખાતે પહોચાડવામાં આવે છે. સાથે સાથે ગોળ, ચણાનો લોટ જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી ખર્ચ કરી ખરીદવામાં આવે છે. બીજ કેન્દ્ર ખાતે આ તમામ સામગ્રીનું ૧૫૦૦ લીટરની તૈયાર કરેલી ટાંકીમાં મિશ્રણ કરવામાં આવે છે. જિલ્લાના છ તાલુકા માટે છ ટાંકીઓ તૈયાર કરવામાં આવી છે. એક ટાંકીમાં જીવામૃત તૈયાર કરવા માટે છ દિવસ લાગે છે. આમ, દરરોજ ૧૨૦૦ લીટર જીવામૃત ઉત્પન્ન થાય છે. જે તમામ છ તાલુકાઓમાં અઠવાડિયામાં એક દિવસ પ્રમાણે આપવામાં આવે છે. જીવામૃત બનાવવા માટે તેને સમયાંતરે હલાવતા રહેવું પડે છે. જેથી તેનામાં ઓક્સીજનની અવરજવર બની રહે, અને બેક્ટેરીયા બની શકે. આ કામ માટે ખાસ એરેટર સિસ્ટમ મુકવામાં આવી છે. જેના કારણે મિશ્રણ જાતે જ ટાંકીમાં ફર્યા કરે છે. તૈયાર કરેલા જીવામૃતને દરેક તાલુકાના પેટા સેન્ટર સુધી પહોચાડવામાં આવે છે, અને ખેડૂતો સુધી 'ન નફા - ન નુકશાન'નાં ધોરણે માત્ર રૂપિયા ૩ પ્રતિ લીટરના ભાવે ખેતીવાડી શાખા દ્વારા વિતરણ કરવામાં આવે છે. *પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય જ શા માટે જરૂરી?* પેટા વિભાગ-વાંસદાના મદદનીશ ખેતી નિયામક શ્રી પરેશકુમાર કોલડિયાએ પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય જ શા માટે જરૂરી છે તે અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેશી ગાયોના ગૌમુત્ર અને છાણમાં બેક્ટેરીયાની માત્રા કરોડોની સંખ્યામાં હોય છે. આ બેક્ટેરીયા જમીનને ફળદ્રુપ બનાવવા કારગર છે. તેથી દેશી ગાયો એટલે કે જે ગાયોમાં ખુંધ આવેલી છે તેવી ગાયોનું ગૌમુત્ર, અને છાણ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુધી સૂક્ષ્મજીવાણુંઓ હોય છે. જયારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ તો તેમાં આપણે દેશી ગાયના ૧૦ કિ.ગ્રા. છાણને ૨૦૦ લીટર પાણીમાં ભેળવીયે છીએ. આવું કરવાથી માની લો કે, આપણે ૩૦ લાખ કરોડ જીવાણુંઓ એમાં નાખી દીધા. ૨૦ મિનીટમાં આ જીવાણુંઓ એમની સંખ્યા બમણી કરી દે છે. ૭૨ કલાક પછી એમની સંખ્યા અસંખ્ય થઇ જાય છે. આ જીવામૃતને જયારે આપણે પાણી સાથે જમીન પર નાખીએ તો એ ઝાડ-છોડને ખોરાક આપવામાં, પકાવવામાં અને તૈયાર કરવામાં લાગી જાય છે. જમીનમાં ગયા બાદ જીવામૃત એક બીજુ કામ કરે છે. આ જમીનની અંદર ૧૦ થી ૧૫ ફૂટ સુધીમાં સૂષુપ્ત અવસ્થામાં રહેલ દેશી અળસિયા તથા બીજા જીવજંતુઓને ઉપરની તરફ ખેંચીને કામે લગાડે છે. *જીવામૃત: અસંખ્ય સૂક્ષ્મજીવાણુંઓનો વિશાળ ભંડાર* જીવામૃત કોઈપણ છોડ-ઝાડને આપવા માટેનો કોઈ ખોરાક નથી. આ તો અસંખ્ય સૂક્ષ્મજીવાણુંઓનો વિશાળ ભંડાર છે. આ બધા સૂક્ષ્મજીવાણુંઓ જે પોષક તત્વ અલભ્ય હોય, તેને લભ્ય બનાવે છે. બીજા શબ્દોમા આ સૂક્ષ્મ જીવાણુંઓ ખોરાક બનાવવાનું કામ કરે છે. એટલા માટે આપણે એને છોડ-ઝાડના ખોરાક બનાવનાર અથવા રસોઈયા પણ કહી શકીએ. ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા, અને ખેતીની આવક વધારવાના સરકારશ્રીના પ્રયત્નોનાં ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જીવામૃતના વેચાણના આ પ્રોજેક્ટની પહેલ કરવામાં આવી છે. જેને નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. જમીનની ફળદ્રુપતા વધારવા અને રાસાયણિક ખાતરનાં વધારે પડતા ઉપયોગથી નિર્જીવ બનેલ જમીનને સજીવ કરવામાં, ખેતીવાડી શાખા નવસારીએ અમુલ્ય યોગદાન આપ્યુ છે. નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાંથી સરાહના મળી રહી છે. ટુંક સમયમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે, તો રાજ્ય ઝડપથી પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન ધરાવતું રાજ્ય બનશે, તેમાં કોઈ બેમત નથી.

*પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો* - *પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી...

Posted by Info Navsari GoG on Tuesday, July 9, 2024

Comments

Popular posts from this blog

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.

  સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી  ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ)  બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના  માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.   પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી.  સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં  સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સો...

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

                                Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો.

    Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી. તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા. ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા. પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો...